મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદની ઉજવણી કરી ભારત દેશ બિનસાંપ્રદાયિક છે. દરેક જાતિના લોકો પોતાનો તહેવાર આનંદ ઉલ્લાસ સાથે ઉજવી શકે છે. મુસ્લિમોનો પવિત્ર તહેવાર એટલે બકરી ઈદ. તે દિવસે મુસ્લિમ ભાઈઓ પોતાની યથાશક્તિ પ્રમાણે બકરાની કુરબાની કરે છે. તે દરમિયાન સવારે ફજરની નમાજ પઢવા જાય છે. એ પછી ઈદની નમાજ પઢે છે. પોતાના ઘરમાં અલગ અલગ રીત રિવાજ પ્રમાણે કવાબ અને સમોસાનો પાટીયો આપે છે. સગાને મળવા જાય છે. નમાજ પછી મોલાનાએ દુઆ કરી હતી કે, ભારત દેશમાં દરેક જાતિના લોકો પોતાનો તહેવાર કોમી એકતાથી ઉજવે, ભાઈચારો રહે અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે. દેશવાસીઓ પર કોઈપણ પ્રકારની આફત ના આવે. આજે સમગ્ર શહેરમાં શાંતિ અને કાયદો, વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે દરેક મસ્જિદ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

