વડોદરાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ અને ધાર્મિક અગ્રણી પુરૂષોત્તમ મૂરજાણીએ શુક્રવારે પોતાના બંગલામાં જ પોતાની જ રિવોલ્વોરથી ગોળી છોડીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. પોલીસ અને FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આપઘાત પહેલા મૃતકે સોશિયલ મીડિયામાં મેસેજ વાઇરલ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતકે પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ સાવકી પુત્રી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગરના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનું જણાય છે.

