સાવલી પંથકમાં વૈશાખ સુદ અખાત્રીજના શુભ મુર્હતે જગતના તાત ખેડૂતો એ ધરતી માતાની પૂજા અર્ચના ખેતીલક્ષી કામગીરી નો પ્રારંભ કર્યો
ભારતીય સંસ્કૃતિનો શ્રેષ્ઠ દિવસ એટલે અખાત્રીજ ના દિવસે પુણ્ય કામો શુભકામો તેમજ ખાસ કરી ખેડૂતો માટે ધરતી માતા ની પૂજા અર્ચના અને સુખાકારી માટે પ્રાર્થના કરવાનો વિશેષ દિવસ હોય સાવલી પંથકના ગ્રામ્ય વિસ્તારના ટૂંડાવ, ગોઠડા, સહિત ના સર્વ ગામોમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં જઈ અખાત્રીજના શુભ મુહૂર્ત અને મહાત્મ્ય ને અનુલક્ષી ધરતી માતા ની પુજા કરી ધરતીને પગે લાગી સારા પાક માટે તેમજ આખું વર્ષ સુખાકારી વાળું નિવડે તે માટે પ્રાર્થના કરી હતી.અને પંથકના મુસ્લિમ ખેડૂતે પણ શ્રીફળ વધેરી ખેતીકામની શુભ શરૂઆત કરાઈહતી

