દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેઓને ‘આધુનિક ભારતના નિર્માતા’ તરીકે ઓળખાવ્યા હતા તેવા તિલક સ્વરાજ (સ્વ-શાશન) ના પ્રથમ મજબૂત હિમાયતી એવા બાલ ગંગાધર તિલક (લોકમાન્ય તિલક) નો આજે જન્મદિવસ છે તેમનો જન્મ 23મી જુલાઇ 1856ના રોજ થયો હતો તેઓ લાલ, બાલ, પાલ ત્રિપુટીના ભાગ હતા.તેઓ મરાઠીમાં તેમના અવતરણ માટે જાણીતા હતા “સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીશ” તેમણે બિપિનચંદ્ર પાલ, લાલા લજપત રાય, અરબિંદો ઘોષ, સહિતના ભારતીય કોંગ્રેસના નેતાઓ સાથે ગાઢ જોડાણ કર્યું હતું દેશની આઝાદી તથા આધુનિક ભારત નિર્માણ સાથે જ સમાજની એકતા માટે યોગદાન આપનારા લોકમાન્ય તિલક ના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહા નગરપાલિકા પાલિકા દ્વારા કોઠી પાસે આવેલ આનંદ પૂરા ખાતે લોકમાન્ય તિલક ની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી જેમાં વડોદરાના મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન, રાવપુરા ના ધારા સભય, સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી, હાલના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સાથે સ્થાનિક નગર સેવકો આ પુષ્પાંજલિના કાર્યક્રમમાં જોડાયા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

