આજે વૈશાખ સુદ પુનમ એટલે કે ભક્ત કવિ નરસિંહ મહેતાની 617 મી જન્મ જયંતીની જૂનાગઢમાં ઉજવણી થઈ રહી છે. નરસિંહ મહેતાના જીવનકાળ સાથે ત્રણ જયંતિની ઉજવણી થાય છે. નરસિંહ મહેતાના સદેહે સૃષ્ટિ પર અવતરણને જન્મ જયંતી તરીકે મનાવવામાં આવે છે. ભક્ત કવિ નરસિંહ મહેતાની 617 મી જન્મ જયંતી મનાવવામાં આવી રહી છે. માગશર સુદ સાતમના દિવસે હારમાળા જયંતિ, ચૈત્ર સુદ સાતમના દિવસે તપ પ્રયાણ જયંતી અને વૈશાખ સુદ પૂનમના દિવસે જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેર એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલ કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા ના મેયર, ચેરમેન, વિભાગના નેતા, સાથે સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા

