30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ચોટીલાસુરેન્દ્રનગર જિલ્લો

વિશ્વ ચકલી દિવસે રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં ચકલીના માળા અને પક્ષીને પીવાના પાણીના કુંડાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું.

ચોટીલા પંથકમાં છેલ્લા 20 વર્ષથી એટલે કે બે દાયકાથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં દર વર્ષે 20 માર્ચના રોજ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે વિનામૂલ્યે ચકલી ઘર અને પક્ષીને પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવે છે જે નિમિત્તે ચામુંડા રોડ સ્થિત રામ રહીમ ફાઉન્ડેશન કાર્યાલય ખાતે સાંજે 04:00 વાગ્યે લીંબડી અજરામર સંપરદાયના પૂજ્ય શાસન પ્રભાવક આચાર્ય ડૉ.પ્રકાશ ચન્દ્ર સ્વામીજીની નીશ્રામાં શુભ હસ્તે અને દાતાઓની હાજરીમાં આ વિતરણ કરવામાં આવ્યું હતું. આજે 2000 ચકલી ઘર અને 2000 જેટલા પક્ષીને પાણી પીવાના કુંડાનું વિતરણ કરીને જીવ દયાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી સંસ્થાએ ચોટીલા શહેર સહિત આજુબાજુની ગામની પ્રાથમિક શાળાઓ અને સીમાડાઓમાં અને ગામડાના વાડી વિસ્તારમાં ખેડૂતોને આ કુંડા નું વિતરણ કરવામાં આવ્યું જેના કારણે આ ઉનાળાની ગરમીમાં ભર બપોરે પક્ષીને પીવાનું પાણી મળી રહે અને આપણું પારિવારિક પક્ષી આપણી વચ્ચેથી લુપ્ત થતી ચકલીને માળો મળે એ હેતુથી ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું જેથી આપણી વચ્ચે ચકલી હમેશા રમતી રહે. રામ રહીમ ફાઉન્ડેશન-ચોટીલા અને સોની જશવંતલાલ ઝીણાભાઈ જ્વેલર્સ શોરૂમ તરફથી આ ચકલીના માળા અને પક્ષીને પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે અરિહંત ઇન્ડસ્ટ્રીઝ વાળા મનસુખલાલ શાહ અને સોની જશવંતલાલ ઝીણાભાઈ શોરૂમ વાળા જશુભાઈ સોની અને લાલાભાઇ સોની ખાસ ઉપસ્થિત રહીને આ સેવાનો લાભ લીધો હતો. આ કાર્યને સફળ બનાવવા માટે રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલાના પ્રમુખ મોહસીનખાન પઠાણ, ઉપપ્રમુખ મેહુલભાઈ ખંધાર,જ્યોતિબેન સીતાપરા, પાયલબેન મોરી,ગોપાલભાઈ જાદવ, મોઈન ખાન પઠાણ, સહિત ધવલભાઇ કોરડીયા અને બળદેવભાઈ કોરડીયા જેવા પક્ષિપ્રેમીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી..

રિપોર્ટર : મુનાફ કલાડીયા, ચોટીલા

Related posts

ચુડાનાં વિજયનગર વિસ્તારમાં જવાનાં રસ્તે પુલ પર પાણીનાં ફુવારા

admin

સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથક વિસ્તારના નડાળા ગામની સીમમાંથી ગેરકાયદેસર દેશી દારુ બનાવવાનો જથ્થો.રૂ.૧,૭૫,૦૦૦/-નો મુદામાલ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર

admin

લીંબડી તાલુકાનાં મુસાફરો માટે આશીર્વાદરૂપ અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની એસ.ટી બસ બંધ થતાં ભારે વિરોધ

admin

Leave a Comment