ડેસર તાલુકાના વચ્છેસર ગામમાં આવાસની દિવાલ પડી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું
વચ્છેસર ગામમાં રહેતા શાંતાબેન મણીભાઈ વસાવા બીમાર હોવાથી તેમના દીકરી અને જમાઈ ખબર જોવાઆવેલહતા દરમિયાન તેઓ પેશાબ કરવા બહાર જઈ રહ્યા હતા ત્યારે એકાએક આવાસ ની દિવાલ પડતા તે દબાઈ જવાથી તેમના માથાના ભાગી ગંભીર ઇજાઓ થઈ હતી ઘટનાની જાણ ગ્રામજનોને થતાં તેઓ ભેગા થઈ તેમને બચાવવાની કામગીરી શરૂકરી દીવાલ નીચે થી કાટમાળ હટાવી બહારકાઢી તેઓને નજીકની ડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં લઈ જવાયાંહતાં જ્યાં ઘરે સાસુ ની ખબરજોવા આવેલ જમાઇ વિજય વસાવા ને મૃત જાહેર કરાયાં હતા અને પોલીસને જાણ કરી આજે પીએમ કરવા તજવીજ હાથધરી હતી મૃતકના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ સંતાનો છે તેઓ મજૂરી કરી તેમનું જીવન ગુજારતા હતા તેઓનું નામ વિજયભાઈ છીતાભાઈ વસાવા ઉ,વ,42 હતી તેઓ ગામ,પાટીયાપુરા નવીનગરી તાલુકો, વાઘોડિયા જીલ્લો ,વડોદરા રહેવાસી હતા
અત્રે ઉલ્લેખનીયછે કે થોડાં દિવસ અગાઉ સાવલી તાલુકાના પરથમપુરા ગામે આવાસયોજના ના આવાસનો સ્લેબવહેલી સવારે ધરાંસાઈ થતાં ધાબા પર સુઈ રહેલ એકને માથાના ભાગે ઇજા થઇ હતી અને સાવલી નગર અને તાલુકામાં અનેક સરકારીઆવાસયોજના ના મકાનો જર્જરિતહાલતમાં હોવાના સમાચાર પ્રસારિત થયાં હતાં પણ હજુપણ અનેક અકસ્માત થાય તેની રાહજોતું વહીવટીતંત્ર ઉદાસીન હોવાનું જણાઈ આવેછે

