વિશ્વામિત્રી કાંઠા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવા એલર્ટ
ભારે વરસાદને પગલે વડોદરામાં વિશ્વામિત્રી નદી બે કાંઠે, વિશ્વામિત્રી નદીની જળસપાટી 9 ફૂટે પહોંચતા વિશ્વામિત્રી કિનારાના રહેણાંક વિસ્તઃરોને એલર્ટ કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હજી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જો કે આજવા સરોવરની જળસપાટી 208.30 ફૂટે પહોંચી છે હજી પાંચ દિવસ વધુ વરસાદની આગાહી. પાલિકાના એકપણ કઃઉન્સિલરો પોતાના વિસ્તારમાં દેખાયા નથી.

