સેવાકીય કાર્ય અંતર્ગત’તમારા દીકરા તમારા દ્વારે’ થકી સામાજિક કાર્યકર શૈલેન્દ્ર ઠાકોર તેમના જનસંપર્ક કાર્યાલય અગસ્ત ક્રાંતિ, વોર્ડ નં.13 ખાતે ભગવાન સત્યનારાયણની કથા નું આયોજન કર્યું હતું
ઇલેક્શન વોર્ડ નં 13 માં સામાજિક કાર્યકર શૈલેન્દ્ર ઠાકોર ઉર્ફે શૈલુ બાપુ દ્વારા તેઓના જનસંપર્ક કાર્યાલય ‘અગસ્ત ક્રાંતિ’ ખાતેથી વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં આઠમના દિવસે અહીં જનસંપર્ક કાર્યાલય ખાતે ભગવાન સત્યનારાયણની કથા પૂજનનું તેમજ કુંવારીકા અને બટુક પૂજનનું તેમજ તેઓને ભોજન સહિત ગુપ્તદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શૈલુ બાપુ તથા તેમના ધર્મપત્ની અને પરિવાર સહિત કન્યાઓ તથા બ્રાહ્મણ બટુકો ઉપસ્થિત રહ્યાં હતાં.

