વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી વિબગ્યોર સ્કૂલના સંચાલકોની જોહુકમી સામે આજે સ્કૂલના વાલીઓ ફરી એક વાર ડીઈઓ કચેરી ખાતે જઈ રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે સ્કૂલ સંચાલકો એફઆરસીએ નક્કી કરેલી ફી લેવાનો ઈનકાર કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટેના પુસ્તકો પણ આપી રહ્યા નથી. તેમજ સ્કૂલે જે પુસ્તક નક્કી કર્યા છે તે પુસ્તકો બજારમાં પણ ન નથી મળતા. ત્યારે આને લઈ ને ડીઈઓ એ જણાવ્યું હતું કે, સ્કૂલની એનઓસી રદ કરવા માટે ડીઈઓ કચેરીએ શિક્ષણ વિભાગને ભલામણ કરી છે. જો કે સ્કૂલ પણ તેની સામે પણ કોર્ટમાં ગઈ છે. તેમ છત્તા વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર તેમની સાથે છે.

