મધ્ય ગુજરાતના લાખો લોકો માટે આશીર્વાદરૂપ ગણાતી સયાજી હોસ્પિટલના બેદરકાર વહીવટના કારણે 10 ડિગ્રી ઠંડીમાં દર્દીઓના સ્નેહી સંબંધીઓ બહાર ફૂટપાથ પર સુવા મજબૂર બન્યા હતા આરોગ્યના વિકાસના બણગાઓ ફોકતી સરકારના દાવાઓની આ દર્શ્યો પોલ છતી કરી રહ્યા છે. સી એસ આર પ્રોજેક્ટ અંતર્ગત દર્દીઓના સ્નેહ સંબંધીઓના રહેવામાટે વિશ્રામ સદન બનાવ્યું છે પરંતુ આ વિશ્રામસદન ‘વિશ્રામ’ની મુદ્રામાં ધૂળ ખાઈ રહ્યું છે અને બીજી તરફ દર્દીઓના સ્નેહીઓને બહાર રજટપાટ કરવો પડે છે ત્યારે સવાલ થાય કે શું આ જ માનવાતા છે.

