ભારતીય જન સંઘના સ્થાપક એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે શહેરના ઇલેક્શન વોર્ડ નં 5 માં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ ભારતીય જન સંઘના સ્થાપક, તત્વવિચારક , સમાજસેવી,રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના પાયાના અગ્રણી એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નો આજે જન્મદિવસ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત બાપોદ જકાતનાકા ખાતેના ઇલેક્શન વોર્ડ નં.5 નાં હિરાબાનગર ખાતે હિરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પંડિત દીનદયાળ ઉપાધ્યાય જી ના તસ્વીરને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી તથા તેઓના કાર્યો અને વિચારોને યાદ કર્યા હતા. આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ના જન્મદિવસ નિમિત્તે હિરાબાનગર ખાતે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

