33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

વડોદરા ખાતે કેજરીવાલના નિવેદન બાદ સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારએ પ્રતિક્રિયા આપી

વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં યોજેલા જાહેર કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકાર અને ખાસ કરીને પાંચ ધારાસભ્યો દ્વારા આપવામાં આવેલા પત્રનો ઉલ્લેખ કર્યો હતો. આ પત્રમાં રાજ્યના મુખ્યમંત્રીને સરકારી અધિકારીઓ તરફથી પૂરતો સહકાર મળતો નથી તેવી ફરિયાદ કરવામાં આવી હોવાનું કેજરીવાલે જણાવ્યું હતું.

કેજરીવાલના આ નિવેદનને પગલે ગુજરાતની રાજકીય ધરતી પર ચર્ચાનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને રાજકારણમાં ગરમાવો વધ્યો છે. ખાસ કરીને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આ નિવેદન પર ખૂબ જ કડક અને તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું કે,
“અરવિંદ કેજરીવાલે આપેલું નિવેદન માત્ર રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ છે. લોકોનું ધ્યાન મૂળભૂત અને વિકાસ સંબંધિત મુદ્દાઓ પરથી હટાવવા માટે આ પ્રકારના નિવેદનોનો સહારો લેવામાં આવે છે. ગુજરાતની જનતાએ આવા રાજકીય પ્રયોગોને હવે ગંભીરતાથી લેવાનું છોડી દીધું છે.”

તેમણે વધુમાં કહ્યું કે રાજ્યના લોકો વિકાસ આધારિત રાજકારણને પ્રાધાન્ય આપે છે અને સતત પ્રગતિશીલ અભિગમ ધરાવતા નેતાઓ પર વિશ્વાસ કરે છે.

રાજ્યમાં વિવિધ નેતાઓ તરફથી પણ કેજરીવાલના નિવેદનોને લઇને અલગ-अलग પ્રતિસાદો મળી રહ્યા છે. કેટલાકે તેને રાજકીય નાટક ગણાવ્યું છે તો કેટલાકે તેને રાજકીય વ્યૂહરચનાનો ભાગ ગણાવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમને કારણે ગુજરાતનું રાજકીય તાપમાન એકવાર ફરી ઉકાળાના બિંદુએ પહોંચ્યું છે.

રાજકારણના નિષ્ણાતોના મત મુજબ, ગુજરાતમાં આવનારા સમયમાં રાજકીય ચર્ચાઓ વધુ તેજ બનવાની શક્યતા છે, કારણ કે બંને પક્ષો જાહેર મંચો પર પરસ્પર આરોપ-પ્રત્યારોપમાં વ્યસ્ત થાય તેવું લાગી રહ્યું છે.

Related posts

હિન્દુ પ્રેરણા મહોત્સવ અંતર્ગત અખંડ જ્યોત નગર યાત્રા દભાઁવતીના આંગણે પધારી

admin

કેનાલમાં નાહવા પડેલા બે મિત્રો પૈકી એકનું ડૂબી જતાં મો-ત

admin

વડોદરામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં નીકળી તિરંગા યાત્રા

admin

Leave a Comment