જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારના રોજ સમગ્ર વિશ્વને હચમચાવી નાખનારી ખૂબ જ દુ:ખદ અને દર્દનાક ઘટના બની હતી જેમાં પાકિસ્તાનના નીચ હલકટ અને કાયર આતંકવાદીઓ દ્વારા બરબરતાપૂર્વક ભારત સહિત વિદેશના પર્યટકો એવા નિર્દોષ નાગરિકો ઉપર હુમલો કરી તેઓની ઉપર સીધો જ ગોળીબાર કરી તેઓની નિર્મમ અને નિર્દય રીતે હત્યા કરવામાં આવી હતી જેને લઈને સમગ્ર ભારતભરમાં જ નહી વિશ્વમાં આ ઘટનાને લઈને લોકોમાં ભારે દુઃખ અને આઘાતની લાગણી સાથે આવા આતંકવાદીઓ સામે ભારે ગુસ્સા સાથે આક્રોશ ફેલાયો છે જેમાં દર્દનાક કમભાગી ઘટનામાં મોતને ભેટનારા તમામ મૃતકોને નમ આંખે શ્રદ્ધાંજલિ આપવા તેમજ તેઓના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી ઘટનામાં ઘાયલ થયેલાઓને ભગવાન વહેલામાં વહેલી તકે સાજા કરે તેવી પ્રાર્થનાઓ સાથે આંતકવાદીઓના આ બર્બરતાપૂર્ણ કૃત્યને વખોડી ધર્મના નામે ગોળી ચલાવનારા એક એક આંતકવાદીને પકડીને જાહેરમાં ફાંસી પર લટકાવી દેવાની માંગ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત શિવસેનાના દિપક પાલકર અને સૈનિકો દ્વારા આતંકવાદ વિરૂદ્ધ દેખાવો કર્યા

