” શિક્ષણ થી મોટુ હથિયાર નથી “સંસ્થા ના અધ્યક્ષ શ્રી ગૌરવ પવળે ના માર્ગદર્શન હેઠળ વર્ષ 2020 થી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી. અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા પસ્તીદાન થી વિધ્યાજ્ઞાન ના મહાયજ્ઞ ની શરૂઆત કરવા આવી હતી. અને આ વર્ષે એ પણ આ મહાયજ્ઞ નો અભિયાન શરૂ કરવા આવ્યુ છે. આ અભિયાન નો મુખ્ય હેતુ છે કે પાછલા કોરોના કાળ મા કેટલાય પરિવારો ની આર્થિક સ્થિતિ નબળી પડી છે અને તેને લીધે કેટલાક બાળકો ના આભ્યાસ પર સીધી અસર થઈ રહી છે. આઉ ના થાય અને કોઈ બાળક નુ ભવિષ્ય ના બગડે કોઈ ને આર્થિક તંગી ને લઈને આભ્યાસ છોડવો પડે તેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે સંસ્થા દ્વારા પસ્તીદાન થી વિધ્યાજ્ઞાન અભિયાન શરૂ કર્યું છે તો અભિયાન મા આપ પણ જોડાઓ અને આ વિધ્યાજ્ઞાન મા આપણા ઘરમાં પડેલી પેપર પસ્તી અમને આપો અમે આ પસ્તી ને વેચાણ કરી ને રાશિ એકત્રિત કરી ને બાળકો ને નોટબુક, સ્કૂલ બેગ, અને શાળા ની ફિ ભરી એ છે. તો આ કાર્યક્રમ આપણો પણ સાથ મળે તે માટે જો આપણા ધર મા પડલી પસ્તી પડી હોય તો અમણે આપો આપણી પસ્તી કોઈ ના ભવિષ્ય માટે ઉપયોગી થઈ શકે છે. ગત વર્ષે એ આપણા બાધા ના સહકાર થી 1000-ડઝન નોટબુક,નુ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે એ પણ વધુ મા વધુ વિદ્યાર્થીઓ ને સહાય મળી રહે તેવા પ્રયાસો સાથે આજે ઘરે – ઘરે જઈને પસ્તી ઉઘરાવીને એકત્રિત કરવાનુ શરૂઆત કરવામાં આવી હતી આજે વાડી વિસ્તારમાં રહેતા અંજલિ જાધવ એ તેમણા આસપાસ થી એકત્રિત કરેલ પસ્તી સંસ્થા ને દાન પેટે આપી હતી. આ સાથે વડોદરા શહેર ના વિવિધ વિસ્તારોમાં માથી સંગીત ચવ્હાણ, આદિશ ગાવડે, મનોજ સાવંત અને રવિ ચોરગે જવા સ્વયંસેવક દ્વારા પણ ઘરે-ધરે જઈને પસ્તી એકત્રિત કરવામાં આવી રહી છે આજે પસ્તીદાન કરનાર સર્વ દાતાઓ ઓનો અધ્યક્ષ શ્રી ગૌરવ રમાકાંત પવળે એ આભાર વ્યક્ત કર્યો હતો.

