શ્રી સરદાર ભવન ટ્રસ્ટ વડોદરા દ્વારા વસંત સ્મૃતિ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંવડોદરા શહેર જિલ્લાની શાળાઓના ૬૮૧ વિધાર્થી ઓએ ભાગ લીધો હતો.
શ્રી સરદાર પવન ટ્રસ્ટ વડોદરા દ્વારા ૧ લી જુલાઈના રોજ વસંત સ્મૃતિ માં નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર જિલ્લાની વિવિધ શાળાઓના 681 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં દરેક શાળાના પ્રથમ, દ્વિતીય, તૃતીય તેવા ૨૩ શાળા ના વિજેતા બાળકોનો કારગીલ દિન નિમીતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પ્રાથમિક ,માધ્યમિક ના તમામ વિદ્યાર્થીઓને ટ્રોફી ને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. જેમાં અકોટા વિસ્તારમાં આવેલ કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય ના બાળકો ને પણ નંબર આવ્યો હતો. મુખ્ય મહેમાનોના હસ્તે બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે શ્રી
સરદાર ભવન ટ્રસ્ટના પ્રમુખશ્રી અનુજ પટેલ, ટ્રસ્ટી શ્રી યુનુસ. ખાન પઠાણ ટ્રસ્ટીશ્રી વિપીન ભાઈ પટેલ હાજર રહ્યા હતા. કારગિલ ની લડાઈ લડી ચૂકેલા એર વિટરન સંગીત કુમાર જા, નવીનભાઈ માજી સૈનિક અને પંચમ દાસ કોર્ડન લીડર હાજર રહ્યા હતા. જેનો સંચાલન પ્રજ્ઞાબેન પરમાર પ્રોગ્રામ મેનેજરે કર્યું હતું.

