વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજાનાર છે.
આ શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના મુખ્ય વક્તા તરીકે પરમ પૂજ્ય શ્રી સીતારામ મહારાજ, જે પંચમુખી હનુમાન મંદિર મહેમદાબાદના મહંત છે, તેઓ દ્વારા ભક્તોને કથાનું રસપાન કરાવવામાં આવશે.
કથા અંતર્ગત શાસ્ત્રો મુજબ આજરોજ પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પોથી યાત્રામાં મોટી સંખ્યામાં બહેનો તથા ભાઈઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
વિશેષ આકર્ષણ તરીકે નાની દીકરીઓ દ્વારા માટલી અને કળશ સાથે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભક્તિભાવ અને સંસ્કૃતિનો અનોખો નજારો રજૂ કરતો હતો.
આ ધાર્મિક આયોજનથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હોવાનું જણાયું હતું.

