33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વાઘોડિયા રોડ રેવા પાર્ક જય અંબે ગરબા ગ્રાઉન્ડ ખાતે પૂણૉહુતિ પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહ

મૃત્યુને મહોત્સવ બનાવી દે તે શ્રીમદ્ ભાગવત, મૃત્યુને મારી શકાતું નથી, સુધારી શકાય છે.પૂ. દ્વારકેશલાલ મહોદય શ્રી કડીવાળા.
વાઘોડિયા રોડ રેવા પાર્ક જય અંબે ગરબા ગ્રાઉન્ડ ખાતે પૂણૉહુતિ પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહમાં મહારાસના અલૌકિક દર્શન , સુદામાચરિત્રની વિસ્તૃત ચર્ચા સત્સંગના માધ્યમથી પૂજ્ય શ્રી દ્વારકેશલાલ મહોદય કડીવાળાએ કરતા વૈષ્ણવ ને જણાવ્યું કે પ્રભુ જેવો કોઈ મિત્ર નથી ,દુનિયા પ્રભુ જોડે માગવા જાય , વૈષ્ણવો પ્રભુને આપવા જાય તે સાચો વૈષ્ણવ. હૃદયની પ્રસન્નતા સુદામાનું પગથિયું છે ,મનને પ્રસન્ન રાખવું એ તપ છે,
સાંસારીક રીતે વ્યસ્ત હોવા છતાં પ્રભુને યાદ કરે તે સાચો વૈષ્ણવ. વૃદ્ધાવસ્થામાં મૃત્યુને જોવું નહીં પણ બાકી રહેલી ઈચ્છાઓ પૂર્ણ કરો પદ ,પ્રતિષ્ઠા, પાછળ ન દોડો પણ પ્રતિભા લઈને જાવ . શ્રીમદ્ ભાગવત કથા ની પૂર્ણાહુતિએ પુષ્ટિ પતાકા
તુજે સલામ એમ પુષ્ટિ ધ્વજ નું પૂજ્ય શ્રી ના કર કમલો દ્વારા લહેરાવવામાં આવ્યો . પ્રભુ શ્રીકૃષ્ણએ વ્રજનાચંદ્ર સરોવર અને અન્ય સ્થળો પર ગોપીઓએ સાથે યોજેલા મહારાસ ની જેમ મહિલાઓ ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ , કથા મંડપમાં દાંડિયા રાસ રમીને પ્રભુ શ્રીકૃષ્ણની લીલાઓને યાદ કરીને અશ્રુ ભીની ધારાઓ વહીને વૈષ્ણવો કથામાં ભાવવિભોર જોવા મળ્યા્ મનોરથી‌ ગીતાબેન મહેન્દ્રભાઈ શાહ પરિવાર દ્વારા યાદગાર કથાનું સુંદર આયોજન જોવા મળ્યું. પૂજ્ય શ્રી એ દરરોજ કથામાં આવનાર અંદાજિત 5000 જેટલા વૈષ્ણવો ને શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ શુંભ આશીર્વાદ પ્રદાન કર્યા.

https://www.instagram.com/reel/DCyYF2PxiGH/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related posts

“સ્વયં અને સમાજ માટે યોગ” થીમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી

admin

વડોદરાના માંજલપુર તથા મકરપુરા પોલીસ સ્ટેશનના બીન વારસી વાહનોની હરાજી યોજાઈ

admin

ડભોઈ : વેગા રેલવે ઓવરબ્રિજ પરની ઝાડી-ઝાંખરા સાફ, મીડિયાના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું

admin

Leave a Comment