દેશમાં ફરીવાર કોરોનાએ પગ પેસારો કર્યો છે. ધીરે ધીરે કોવિડ 19 ના કેસ માં વધારો થઈ રહ્યો છે. જેમાં આરોગ્ય મંત્રાલયે જણાવેલ અપડેટ મુજબ 19 મે સુધી માં દેશમાં કોવિડ ના 257 જેટલા સક્રિય કેસ નોંધાયા છે. ભારત સાથે અન્ય દેશો જેવા કે સાઉથ એશિયા , ભારત માં કેરળ તેમજ મુંબઈ ના કેટલાક ભાગો માં પણ કોવિડ 19 ના કેસ માં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે અગમચેતી ના ભાગરૂપે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલનું તંત્ર પણ સજ્જ હોવાનું નોડલ ઓફિસર ડૉ. બેલીમ દ્વારા જણાવાયું હતું. વધુ માં માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે હાલ માં વડોદરા માં કોવિડ 19 નો એક પણ કેસ નથી. પરંતુ સુરક્ષા ના ભાગરૂપે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવાની સલાહ આપવામાં આવી હતી.

