ગુજરાતભરમાં આજથી દેવાધિ દેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે અને યોગાનુયોગ આજે સોમવારથી જ શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે સવારથી જ રાજ્યભરના શિવાલયો ખાતે ભક્તો ઉમટી પડ્યા છે. ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી શિવ ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાન ભોલેનાથ નો અભિષેક સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી સાથે જ ત્રણ વર્ષ બાદ આ વર્ષે પાંચ સોમવાર આવ્યા છે શ્રાવણ માસનો પ્રારંભ શિવજીના પ્રિય એવા સોમવારથી થયો અને સમાપ્તિ પણ સોમવારે જ થશે. શ્રાવણ માસ દરમ્યાન પાંચ સોમવાર આવશે. જે પાંચેય સોમવાર સહિતના દિવસોમાં શિવભકતો દ્વારા ભોળાનાથને રીઝવવા વિશેષ પૂજન અર્ચન અભિષેક કરાશે તથા શિવજીના વિશેષ શૃંગાર દર્શન કરવામાં આવશે ત્યારે શ્રાવણ મહિનાના પાંચે સોમવારે શિવજી પર વિવિધ પ્રકારની વસ્તુઓનો મહિમા વિશેષ છે ત્યારે આ સોમવારે ભગવાન ભોળાનાથ પર ચોખા જણાવવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે

