36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી વર્ષીતપ ના ૧૦૦ દિવસ પૂર્ણ થવાની ઉજવણી હર્ષ ઉલ્લાસ અને ઉમંગ થી કરવામાં આવી

શ્રી ભાગ્યવર્ધક વિશ્વામિત્રી જૈન સંઘ માં શ્રી ઋષભદેવ પરમાત્મા એ કરેલ ૪૦૦ દિવસ ના વર્ષીતપ ની જેમ શ્રી સંઘ માં પણ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા ની અસીમ કૃપાથી અને ગત વર્ષે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નયચંદ્રસાગર મહારાજ ના શિષ્ય એવા મુનિરાજ શ્રી સંભવચંદ્ર સાગર મહારાજ સાહેબ ની પ્રેરણા થી શરૂ થયેલ શ્રી વર્ષીતપ ના ૧૦૦ દિવસ પૂર્ણ થવાની ઉજવણી હર્ષ ઉલ્લાસ અને ઉમંગ થી કરવામાં આવી હતી . જેમાં મુખ્ય દાતા શ્રી મનહરભાઈ ભોગીલાલ શાહ તેમજ શ્રીમતી મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર ખાસ ઉપસ્થિત રહી સતત ૧૦ મા વર્ષીતપ, ૫ માં વર્ષીતપ અને ૩ જા વર્ષીતપ ની સાથે પ્રથમ વર્ષીતપ કરનાર કુલ ૧૨૦ તપસ્વીઓની ખૂબ જ અનુમોદના કરી પ્રોત્સાહન આપ્યું હતું.

અન્ય દાતા ઓ ની સાથે સંઘ પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ, શ્રી વિપીનભાઈ તેમજ શ્રી મહેશભાઈ, શ્રી નયનભાઈ, શ્રી યોગેશભાઈ, શ્રી નૈષધભાઈ સાથે વૈયાવચ માટે ખડે પગે સતત ઊભા રહેનાર શ્રી રાજેન્દ્રભાઈ, શ્રી અમિતભાઈ, શ્રી પારસભાઈ, શ્રી જીગ્નેશભાઈ, શ્રી કેયુરભાઈ, શ્રી મનીષભાઈ તેમજ સંઘ અનેક ભાઈઓ તેમજ બહેનો ની શ્રી સંઘ અનુમોદના કરે છે .

Related posts

વડોદરા BSNL ચાર રસ્તા પાસે અકસ્માત, ડ્રાઈવર બેહોશ થતાં કાર બાઈકને ટક્કર મારી

admin

પીવાના પાણીની સમસ્યા યથાવત્ રહેતા લોકોએ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું

admin

મચ્છી પકડવા ગયેલ પ્રવીણભાઈનું પાણીમાં મગર ખેંચી લઈ જતા મોત નીપજ્યું હતું તેઓના પરિવારને સહાય માટે ધારાસભ્ય હસ્તે પરિવારને પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો

admin

Leave a Comment