છોટાઉદેપુર જિલ્લામાં સરકારની કલ્યાણકારી યોજનાઓ થકી આદિવાસીઓ આગળ વધી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના અછેટા ગામના આદિવાસી ખેડૂત રાજુભાઈ રગલાભાઈ રાઠવાને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અને એનએસટીડીસી ન્યૂ દિલ્લીના સૌજન્યથી ટ્રેક્ટર વીથ ટ્રોલી ખરીદવા માટે તદ્દન ઓછા વ્યાજદરે ધિરાણ યોજના અંતર્ગત લાભ આપ્યો. જેનાથી રાજુભાઈએ ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદી. હવે રાજુભાઈ પોતાની ખેતીની સાથે ટ્રેક્ટર ટ્રોલી દવારા વધારાની રોજગારી પણ મેળવી રહ્યા છે
છોટાઉદેપુર જિલ્લાના અછેટા ગામના આદિવાસી ખેડૂત વિઠ્ઠલભાઈ જેમાતાભાઈ રાઠવાને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અને એનએસટીડીસી ન્યૂ દિલ્લીના સૌજન્યથી ટ્રેક્ટર વીથ ટ્રોલી ખરીદવા માટે તદ્દન ઓછા વ્યાજદરે ધિરાણ યોજના અંતર્ગત લાભ અપાયો. લાભ મળવાથી વિઠ્ઠલભાઈએ ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદી, હવે વિઠ્ઠલભાઈ પોતાની ખેતીની સાથે ટ્રેક્ટર ટ્રોલી દવારા વધારાની રોજગારી પણ મેળવી રહ્યા છે
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

