છોટાઉદેપુર તાલુકાના રંગપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું તથા ખડકવાડા અને લેહવાટ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.નાગરિકોને આરોગ્યને લગતી સુવિધાઓ મળી રહે એવા આશય સાથે છોટાઉદેપુર તાલુકાના રંગપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું તથા ખડકવાડા અને લેહવાટ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ અને ધારાસભ્યની સાથે આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઇ રાઠવા, પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી પારસીંગભાઇ રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ જશુભાઈ રાઠવા, ડોક્ટર જયેશ રાઠવા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

