વડોદરાજિલ્લા ડેસર તાલુકાના સાંઢાસાલના મેવલી રોડ પર અંતિમધામ જવાના રસ્તે આવેલ બળિયાદેવ મંદિરના પ્રાંગણમાં આવેલ સિમેન્ટ ના બાંકડા પર સળગાવેલી હાલતમાં એક યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવની આગલી રાત્રીએ શાંઢાસાલ ગામનો આશરે 16 વર્ષીય યુવક જયમિલ કિરણસિંહ ગોહિલ ફળીયાના લગ્ન પ્રસંગમાં ગરબા બાદ લાપતા થયો હતો.સવારે પરિવારજનો ને જાણ થતાં ગ્રામજનો સાથે બળિયાદેવ મંદિરે લોકટોળાં ઉમટી પડ્યાં હતાં .ડેસર પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કાર્યવાહી કરી સળગેલી હાલતના મૃત દેહને પીએમ અર્થે ડેસરના સરકારી દવાખાને લઈ જવાયો હતો. ડેસર પોલીસ સહિત જિલ્લા ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ પોલીસ એજન્સીઓએ આરોપીને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા.
તે બનાવ ના આરોપી ને ગણતરી ના કલાકોમાંજ ઝડપી પાડ્યો છે.ફરિયાદ ની વિગત પ્રમાણે હત્યા માટે પ્રેમ પ્રકરણ જવાબદાર
મૃતક જૈમીનકુમાર કિરણસિંહ ગોહિલને ગામના જ આરોપી ચીરાગકુમાર જગદીશભાઈ પરમારની બહેન સાથે સબંધ ન રાખવા બાબતે ઠપકો આપવા બોલાવી હાથાપાઈ બાદ માથાં માં ડંડા વડે ઇજા કરી જ્વલનશીલ પદાર્થ વડે સળગાવી પુરાવાનો નાશ કરી ભાગી છૂટ્યાની કબૂલાત કરી હતી.આરોપી ચીરાગકુમાર પરમાર અન્ય સાથી સગીરને ડેસર પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

