જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મંગળબજાર સહિતના બજારો સજ્જડ બંધ રહ્યા હર.વેપારીઓ દ્વારા બંધ પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આતંકીઓએ નિર્દોષ નાગરિકોની હત્યા કરી નાખી હતી. જેના કારણે દેશભરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાંજલિ અને વિરોધના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.ત્યારે વડોદરા શહેરના મંગળ બજારમાં વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

