37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

વડોદરા થી સાવલી આવતી 22 વર્ષથી અવિરત ધર્મધજાપદયાત્રા ભીમનાથમહાદેવ મંદિરે પહોંચી

વડોદરા થી સાવલી સુધી પ્રતિવર્ષે અને સતત છેલ્લા 22 વર્ષથી અવિરત રીતે યોજાતી ધર્મધજાપદયાત્રા આ વર્ષે પણ સાવલી ખાતે આવેલા સુપ્રસિદ્ધ ભીમનાથમહાદેવ મંદિર પરિસરમાં પહોંચી હતી. અહીં ગેબીનાથદાદાની જીવંત સમાધી તેમજ બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીના સમાધીમંદિરે યાત્રિકોએ પૂજાઅર્ચના કરી ધર્મલાભ લીધો હતો.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ આ પૌરાણિક મહત્વ ધરાવતા ભીમનાથમહાદેવ મંદિરમાં નાથ સંપ્રદાયના ગેબીનાથદાદાની સમાધી સ્થિત છે, જ્યારે સાવલીને કર્મભૂમિ બનાવનાર બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીનું સમાધીમંદિર પણ અહીં આવેલું છે.

બ્રહ્મલીન સ્વામીજીના લઘુબંધુ અને વિરમગામ પાસે ગૌરયા ના પીઢાધીશ બ્રહ્મલીન જગદીશગીરી મહારાજ દ્વારા 22 વર્ષ પહેલાં વડોદરા થી સાવલી સમાધીમંદિર સુધી આ ધર્મધજાપદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આ પરંપરા અવિરત રીતે ચાલી આવી છે.

હાલમાં આ યાત્રા બ્રહ્મલીન જગદીશગીરી મહારાજના શિષ્ય નીલકંઠગીરી મહારાજના સાનિધ્યમાં યોજાઈ હતી. ધર્મધજાપદયાત્રા સંઘ સાવલી ભીમનાથમહાદેવ મંદિરે પહોંચ્યો હતો અને ત્યારબાદ સમાધીમંદિરે વિધિવત પૂજા-અર્ચના કરી ધાર્મિક શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને યાત્રિકો જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભક્તિભાવથી ભરપૂર માહોલ સર્જાયો હતો.

Related posts

22 થી 28 જૂન સુધી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઇવ શરૂ કરાઇ

admin

નસવાડી તાલુકાના ખેડૂતો માટે ખુશખબર : રેવા જિનિંગ ખાતે CCI દ્વારા કપાસની ખરીદી શરૂઆત

admin

પોલીસે 48 દિવસ બાદ આખરે જોય ટ્રેનના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

admin

Leave a Comment