Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાજ્ય સરકારની કમિટીએ પૂરના નિવારણ માટે કરી સમીક્ષા બેઠક

મીટીંગ પર મીટીંગ પણ કોઈ નિરાકરણ નથી …

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું તેના નિવારણ માટે પગલાં ભરવા રાજ્ય સરકારે કમિટીનું ગઠન કર્યું છે. જે સંદર્ભે આજરોજ પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સમીક્ષા બેઠક મળવા પામી હતી. જેમાં કમિટી અધ્યક્ષ બી એન નવલાવાલા , મુખ્યમંત્રીના સલાહકાર એસ એસ રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વામિત્રીમાં પૂર આવ્યું તે બાબતે શું પગલાં ભરી શકાય તે બાબતે ચર્ચા થઇ હતી. ખાસ કરીને આજવા ડેમ, પ્રતાપપુરા ડેમ, વિશ્વામિત્રી નદીમાં પૂરના સમયે કઈ રીતે પાણી ઓછું કરી શકાય તે બાબતે એક્સપર્ટ સાથે સમીક્ષા કરી છે.

Related posts

વડોદરા શહેરના હરણી રોડ પર ચાલતી કાર બની અગનગોળો, સમયસર બહાર નીકળતાં પરિવાર બચ્યો

admin

સાવલીમાં પાણીપુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ : હજ્જારો ગેલન પાણીનો રોજબરોજ વેડફાટ

admin

ડભોઇ તાલુકાના સીતપુર ગામના રહેવાસીઓ વારંવારની વીજ ટ્રિપિંગથી પરેશાન રોષે ભરાયેલા ગ્રામજનોએ સબ સ્ટેશન ખાતે પહોંચી કર્યું હલ્લાબોલ

admin

Leave a Comment