શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ પ્રચંડ વિરોધ થતાં વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી ઉપરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવા માટે કવાયત શરૂ કરી હતી. દરમિયાન વેમાલીથી વડસર સુધીની નદી પર સર્વે કર્યા બાદ અગોરા મોલના ક્લબ હાઉસ સહિત 10 દબાણકારોને ગતરોજ 72 કલાકનો સમય આપતી નોટિસ આપવામાં આવી છે. જો દબાણકારો દ્વારા યોગ્ય જવાબ આપવામાં નહીં આવે તો શુક્રવારથી પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જોકે પાલિકા તરફથી નોટિસ મળતા જ મેરીલેન્ડ પાર્ટ પ્લોટ ની કેન્ટીન, ગ્લોબલ ડીસ્વકરી સ્કુલ, હરણી તથા વડસર સ્થિત વોટર લીલી ખાતે દબાણો હટાવવાની કામગીરી સ્વેચ્છીક શરૂ કરી દેવામાં આવી છે.
previous post

