વાંકાનેડા ગામ માં એક યુવક નું અવસાન થયું હતું જેમાં ગ્રામજનો તેમજ સગાં સંબંધી દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં માટે ગામ માં પસાર થઈ ને મેસરી નદીમાં અંતિમ સંસ્કાર કરવા માટે જવું પડે છે જેમાં નનામી ને પણ કાદવ કીચડ અને કાંટાવાળી ઝાડી ઝાખરા વાળા રસ્તે જવું પડે છે અને મેસરી નદી ના પાણી માં થઈ ને પસાર થવું પડે છે અને આ સમસ્યા વર્ષોથી આવી જ છે પરંતુ સ્મશાન જવા માટે રસ્તો પણ નથી અને નદીના પાણીમાં થઈ પસાર થવું પડે છે જીવના જોખમે ગામજનો અને સગાસંબંધી અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર છે આપણો દેશ આઝાદ થયો આટલા બધા વર્ષો પછી પણ વાંકાનેડા ગામમાં સ્મશાન જવાનો રસ્તો પણ નથી તેમજ ગામજનો દ્વારા સરપંચ અને તલાટી કમ મંત્રી ને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ ગામજનો દ્વારા રસ્તાની માંગણી છે કે હવે રસ્તો નહીં બનાવામા આવે તો ગામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે

