વડોદરા મહાનગરપાલિકા એક સ્વાયત સંસ્થા છે જે નાગરિકોના વેરા થી સુવિધાઓ આપવામાં આવે છે વડોદરા શહેરમાં કેટલાય વર્ષોથી સ્મશાનોમાં સારી વ્યવસ્થાઓ હતી પરંતુ વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીના કારણે તમામ સ્મશાનો બેહાલ થઈ ગયા અને હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંસ્થા એજન્સીઓને એક મૃતદેહ પાછળ 7,500/- ચૂકવવાનું આયોજન કર્યું છે જેનો વર્ષનો કુલ નાણા 10.45 કરોડનો ખર્ચ થનાર છે તે તમામ નાણાં વડોદરા ની જનતા ના જ ચૂકવવાના છે જે કામગીરી વર્ષમાં 5 કરોડમાં થતી હતી તેના 10.43 કરોડ આપવા બાબતનો સખ્ત વિરોધ છે સાથે ખાસ વાળી સ્મશાનમાં સીએસઆર ફંડ થકી 15 કરોડમાં નવીનીકરણ થયેલું છે ત્યારે એજન્સી સંસ્થા ને સીધો લાભ લેવા તત્પર છે તો વડોદરા મહાનગરપાલિકા પોતે જ કેમ કામગીરી કરવા તૈયાર નથી?
જનતાની સેવા કરવા તત્પર છો કે જનતાના વેરાના નાણા નું ભ્રષ્ટાચાર કરવા તત્પર છો
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના તમામ સ્મશાનો માટે જાહેરાત કરવામાં આવે તો કેટલીય સંસ્થા ફ્રી માં કે ઓછા નાણા થી કામ કરવા તૈયાર થશે તેવી સંસ્થા એજન્સીને કામ આપવા સામાજિક કાર્યકર અતુલ ગામેચી ની વિનંતી સાથે માંગ કરતું આવેદનપત્ર ડે મ્યું કમિશનરને આપ્યું હતું સાથે જો આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્મશાનની બહાર બેસી આંદોલન કરવામાં આવશે તેવું અતુલ ગામેચીએ જણાવ્યું હતું

