વાડી ખત્રીપોળની 26 વર્ષિય પરિણીતા સદીકાબાનું મોહમ્મદમિયા શેઠવાલા પોતાની દોઢ વર્ષની દીકરી ફાતિમાને લઈને લંડનથી વડોદરા દિયરના નિકાહમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારે 12 જૂન ના રોજ લંડન પરત ફરતા માતા અને દીકરી પ્લેન ક્રેશ નો ભોગ બન્યા હતા. ત્યારે ગઇકાલે રાત્રે દોઢ વર્ષીય દીકરી ફાતિમા નો ડીએનએ મેચ થતાં અમદાવાદ સિવિલ ખાતેથી તેનો પાર્થિવ દેહ નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. જેને લઈ ને મુસ્લિમ સમાજ હિબકે ચઢ્યો હતો. બાદ તેણી દફનવિધિ મિસરી કુંઇ કબ્રસ્તાન વાડી શાસ્ત્રી બાગ ખાતે કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હજી સુધી માતા સદીકાબાનું ના ડીએનએ મેચ નથી થયા.

