સતત બે દિવસના વરસાદી વાતાવરણમાં વડોદરા જિલ્લાના સાવલી માં આવેલ રોહીતવાસ માં શ્રમજીવી પરિવાર ના બે જોડિયા અને જર્જરિત મકાન ધડાકાભેર ધરાસાઈ થતાં લોકટોળાં દોડી આવ્યાં હતાં સદનસીબે ઘટના વખતે બંને પરિવાર ઘર બહાર હોવાથી જાનહાની કે કોઈને ઘાયલ ની ઘટના બની ન હતી મકાન માલીક મહિલા ને સરકારશ્રી ના નવીન આવાસયોજના ના લાભ વિષયે પૂછતાં તેવો એ અનેક વાર આવાસ માટે ફોર્મ ભર્યાહતા પણ કોઈ કારણસર રિજેક્ટ થયેલ ત્યારબાદ પણ ફોર્મ ભરેલછે અને હવે જર્જરિત મકાન નો પણ આશરો છીનવાઈજતાં નિરાશથઈ સરકારશ્રી ની આવાસયોજનાનો લાભ સત્વરે મળે અને વહીવટી તંત્ર દ્વારા કેશડોલ વરસાદી સહાય ચૂકવાય તેવું ઇચ્છી રહ્યાછે

