32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડએ લોકોની રજુઆત ધ્યાનમાં લઈ રેલવેના નાળાની મુલાકાત લીધી

ઉના શહેરમાં આવેલ વોર્ડ નં. ૯ માં રામનગર ખારા વિસ્તારમાં ચોમાસા દરમિયાન રેલવેના નાળા નીચે પાણી ભરાતા રામનગર ખારા વિસ્તારના રહીશોને લોકોને તેમજ વાહન ચાલકોને અવર-જવર કરવામાં મુશ્કેલીઓ પડતી હોવાથી આ વિસ્તારના લોકોએ ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડને રજુઆત કરતા ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ અને ખારા વિસ્તારમાં રેલવે ના નાળા નીચે પાણી ભરાતા સ્થળની રૂબરૂ મુલાકાત લીધી. અને ધારાસભ્યશ્રી એ તાત્કાલિક ધોરણે વોર્ડ નં. ૯ ના નગરપાલિકાના સદસ્યશ્રી ભોળુભાઈ રાઠોડનો સંપર્ક કરી સ્થળ પર રૂબરૂ બોલાવી અને તાત્કાલિક અસરથી પથ્થરના ટોળાના ટ્રેક્ટરો મંગાવી અને પાણી ભરાયેલા ખાબોચીયામાં પથ્થરો નાંખી રસ્તાનું લેવલીંગ કર્યું હતું. જેથી લોકોને અવર-જવર કરવામાં થતી મુશ્કેલી દુર થતા આ વિસ્તારના લોકોએ, રાહદારીઓએ અને વાહન ચાલકો એ રાહતનો શ્વાસ લીધો હતો. અને રામનગર ખારા વિસ્તારના લોકોએ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ નો આભાર માન્યો હતો.રિપોર્ટર ભાલીયા માધુ ઉના

Related posts

ગીર ના વડા મથક વેરાવળ વરસાદ પ્રભાવિત વિસ્તારો માં કલેકટર પહોચ્યા …

admin

પત્રકાર અને તેની 1 વર્ષ ની દીકરી પર જાનલેવા સરપંચના પ્રતિનિધિએ હુમલો કર્યો

admin

ગીર સોમનાથમાં જિલ્લા કલેકટર ને બાતમી મળતા રેઇડ

admin

Leave a Comment