વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ખાતે સૈયદ કબ્રસ્તાનમાં આવેલ ઐતિહાસિક તથા કોમી એકતા ના પ્રતિક હજરત સૈયદના શહીદ પીર દાદા નો દસમી મોહરમ ના રોજ રાત્રે ઈશાની નમાજ બાદ સંદલ શરીફ અને દરગાહ શરીફ પર ફૂલ ચાદર ચઢાવીને સમગ્ર ગુજરાત અને દેશમાં ભાઈચારો અને એકતા બની રહે તેવી દુઆ કરવામાં આવી હતી દરગાહ ખાતે હિન્દુ મુસ્લિમ તમામ મોટાભાગના દરગાહ શરીફ પર આવીને જે કાંઈ પણ તકલીફ હોય તે માટે આવતા તેઓને તકલીફ થતીદૂર થતી હોવાથી તેઓ પોતાની મન્નત બાધાઓ પૂરી કરવા આવતા હોય છે જ્યારે આ ઉર્સ પ્રસંગે આવેલ શ્રદ્ધાળુઓ માટે દાદાના અકીકત મન્દ્દો મોહરમના 11 માં ચાંદે ગોઠડા મદીના મસ્જિદના હોલમાં ન્યાજ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દાદાના મુંરીદિન આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓ અને આસપાસના વિસ્તારના લોકો આ ઉર્સ પ્રસંગે હાજરી આપી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે સૈયદ નિયામતઅલી બાપુ સૈયદ સાજીદ અલી બાપુ ગામના તમામ મુસ્લિમ આગેવાનો ટ્રસ્ટીઓ મૌલાના હઝરુદ્દીન અશરફી તેમજ મોલાના અબ્દુલ હલીમ ઉપસ્થિત રહ્યા હતા

