બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ દેખાવ કરવામાં આવ્યો. જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વિવિધ બેનર સાથે સક્રિય ભાગીદારી અપાઈ હતી. “ચિન્મય કૃષ્ણ દાસજી ને મુક્ત કરો”, “બાંગ્લાદેશ સરકાર જાગો”, “માનવતા થઈ શરમ સાર, હિન્દુઓ પર અત્યાચાર બંધ કરો” જેવા બેનર સાથે લોકોએ વિરોધ કર્યો. નોંધનીય છે કે, આ દેખાવમાં લંભા સ્વામિનારાયણ મંદિરના આચાર્ય હેમેન્દ્ર પ્રસાદ, નાગર વેલ હનુમાન મંદિરના મહંત હીરાલાલ મહારાજ, ગતરાડ ગૌ શાળા ના શિવનારાયણ દાસ અને અન્ય સમર્થકો પણ જોડાયા હતા. લોકોએ આદરપૂર્વક સરકારને આ વિધાનના પ્રતિક તરીકે જાગૃત થવા અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અન્યાયને રોકવા માટે પ્રયત્ન કરવા માંગણી કરી

