40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે લાલ કોર્ટ પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

શહીદ ભગતસિંહ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના એક મહાન ક્રાંતિકારક હતા. તેઓનો જન્મ 28 સપ્ટેમ્બર 1907 ના રોજ પંજાબના લાયલપુર (હાલમાં પાકિસ્તાન) જિલ્લામાં થયો હતો. તેઓ નાના વયથી જ બ્રિટિશ શાસન વિરુદ્ધ બળવો કરવાની પ્રેરણા લઈને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા.
ભગતસિંહ હિંદુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA) ના સભ્ય હતા. 1928 માં, લાલા લજપતરાય પર કરાયેલા લાઠીચાર્જના બદલામાં તેમણે સાંડર્સની હત્યા કરી. 1929 માં, દિલ્હીમાં એસેમ્બલી હોલમાં બોમ્બ ફેંકીને “ઇન્કલાબ ઝિંદાબાદ”ના નારા લગાવ્યા.
ભગતસિંહ અને તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવને 23 માર્ચ 1931 ના રોજ બ્રિટિશ શાસન દ્વારા ફાંસી આપી દેવામાં આવી. આજે પણ તેઓ યુવા માટે દેશભક્તિ અને શૌર્યનું પ્રતીક છે. તેવામાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નગર સેવકો અને કાર્યકર્તાઓ સાથે વિભક્ત નેતા ઉપસ્થિત રહ્યા હતા

Related posts

શહેરમાં રોગચાળાએ ફફડાટ ફેલાવતા સ્થાયી સમિતિ અધ્યક્ષે તમામ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી

admin

સાવલીના રોહિતવાસ વિસ્તારમાં બે જોડિયા જર્જરિત મકાન ધરાસાઇ સદનસીબે કોઈ હાની નથી

admin

એમ.એસ.યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે ડાન્સ વિભાગમાં મણીપુરીના એક્સપોનન્સ પહ્મશ્રી દર્શનાબેન ઝવેરી દ્વારા લેક્ચર ડેમોસ્ટ્રેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

admin

Leave a Comment