ગત તા.27 ઓગસ્ટ ને ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી ને બુધવારથી સંસ્કારી નગરી વડોદરા શહેર શ્રીજીમય બન્યું છે.ઠેરઠેર નાના મોટા ગણેશ મંડળો દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે શહેરના રાજમહેલ રોડ સ્થિત દયાળભાઉના ખાંચામાં છેલ્લા 55 વર્ષથી વિવિધ થીમ આધારિત સમાજને કંઇક સંદેશ આપતી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે મુરલી મનોહર શ્રી કૃષ્ણ અને રાધા સ્વરૂપે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. અહીં દસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું જેમાં ભજન કિર્તન, અલગ અલગ ગેમ્સ રમાડવા સહિતનાં આયોજન કરવામાં આવે છે. બુધવારે ભાદરવા સુદ એકાદશી નિમિત્તે શ્રીજીને 56ભોગ (અન્નકૂટ) ધરાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દયાળભાઉ બાળ યુવક મંડળના સભ્યો દ્વારા હળીમળીને કરવામાં આવે છે.સમગ્ર મામલે મંડળના આગેવાન પ્રશાંતભાઇ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

