30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગર વસાહતમાં પાણી ભરાયાં

વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો થતાં વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગર વસાહતમાં પાણી ભરાયાં, લોકોને નજીકની શાળામાં ખસેડાયા

ઉપરવાસમાં ભારે વરસાદ તથા શહેરમાં ધીમી ધારે સતત વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રવિવારે સવારે વિશ્વામિત્રી નદીની જળસપાટી 22 ફૂટે પહોંચતા ની સાથે જ કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા જલારામનગર વસાહતમાં વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં પ્રવેશતાં તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી સાથે જ અહીંથી લોકોને નજીકની શાળામાં ખસેડાયા છે.અહી ધીમે ધીમે વિશ્વામિત્રી નદીના પાણી આગળ વધી રહ્યા છે જેના કારણે હવે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.લોકોની ઘરવખરી ને નુકસાન સાથે સાથે મગર અને સરિસૃપ જીવોનો ખતરો પણ વધ્યો છે. શાળામાં ખસેડવામાં આવેલ લોકો માટે એનજીઓ તથા સમાજસેવી સંસ્થાઓ દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Related posts

વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતોની આજુબાજુ પસાર થતાં ડીજે અને ત્યાં ફોડાતા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા રજૂઆત

admin

પોલીસે 48 દિવસ બાદ આખરે જોય ટ્રેનના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

admin

પ્લેન ક્રેશમાં માંજલપુરના મૃતક કલ્પનાબેન પ્રજાપતિનો પાર્થિવ દેહ નિવાસ સ્થાને પહોંચ્યો

admin

Leave a Comment