43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ તાલુકામાં જંગલી ભૂંડોનો આતંક પાક બચાવવા ખેડૂતો સાડી અને તારની વાડનો સહારો સરકાર નક્કર પગલાં લે તેવી માંગ

ડભોઈ તાલુકાના ખેડૂતો હાલમાં જંગલી ભૂંડોના વધતા જતા ત્રાસથી ત્રસ્ત છે. શીરોલા ગામ સહિત અન્ય ગામોના ખેતરોમાં ભૂંડોનો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે ખેડૂતોને પોતાના તૈયાર પાકને બચાવવા માટે અવનવા અને ખર્ચાળ ઉપાયો કરવા પડી રહ્યા છે. એક તરફ કમોસમી વરસાદના મારથી ખેડૂતો પાયમાલ થયા છે, ત્યાં હવે આ જંગલી પ્રાણીઓનો ત્રાસ તેમના માટે “બીજા દુઃખ” સમાન બન્યો છે.જૂની સાડીઓની ‘બાઉન્ડ્રી’ દેશી જુગાડથી પાક સુરક્ષા શીરોલા ગામના ખેડૂતોએ જંગલી ભૂંડોથી બચવા માટે એક અનોખો અને દેશી ઉપાય અપનાવ્યો છે.

તેઓ બજારમાંથી જૂની સાડીઓ લાવીને તેને પોતાના ખેતરની ફરતે બાઉન્ડ્રી તરીકે બાંધી રહ્યા છે.આ યુક્તિ પાછળનો હેતુ: ખેતરમાં લગભગ 200 જેટલી સાડીઓ બાંધવામાં આવી છે. આ સાડીઓ હવામાં ઉડે અને હલે ત્યારે ભૂંડ તેને જોઈને કે તેનો અવાજ સાંભળીને ગભરાઈને નાસી જાય છે. આ કામચલાઉ ઉપાય કરીને ખેડૂતો મહેનતથી ઉગાડેલો પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વધારાનો ખર્ચ ખેડૂતોને પોસાય તેમ નથી
​કેટલાક ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે તારની વાડ પણ કરી રહ્યા છે. જોકે, આ બંને ઉપાયો – સાડીઓનો ખર્ચ હોય કે તારની વાડ બનાવવાનો – ખેડૂતોને માથે વધારાનો આર્થિક બોજ લાદે છે.ડભોઈ તાલુકાના અન્ય ગામોમાં પણ જંગલી ભૂંડોનો ત્રાસ વધતા ખેડૂતો તાહિમામ પોકારી” ઉઠ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ કુદરતી આપત્તિઓ અને બીજી તરફ આ જંગલી પ્રાણીઓનો ત્રાસ તેમને પાયમાલ કરી રહ્યો છે. આ પરિસ્થિતિને જોતા, ડભોઈ તાલુકાના ખેડૂતોએ ગુજરાત સરકાર સમક્ષ તાત્કાલિક અને નક્કર પગલાં લેવાની માંગ કરી છે.ભૂંડોના ત્રાસનો કાયમી ઉકેલ: સરકારે વન વિભાગ દ્વારા કોઈ એવી યોજના અમલમાં મૂકવી જોઈએ, જેનાથી જંગલી ભૂંડો ખેતરોમાં આવીને પાકને નુકસાન ન પહોંચાડે.ખર્ચાળ ઉપાયોમાંથી મુક્તિ: જો સરકાર આ બાબતે કોઈ વ્યવસ્થિત આયોજન કરે, તો ખેડૂતોને પાક બચાવવા માટે સાડીઓ કે તાર જેવો ખોટો અને વધારાનો ખર્ચ કરવો ન પડે.ખેડૂતોની લાગણી છે કે રાજ્ય સરકાર તેમની આ મુશ્કેલીને ગંભીરતાથી લઈને વહેલી તકે કોઈ અસરકારક નીતિ બનાવે, જેથી તેઓ શાંતિથી ખેતી કરી શકે.

Related posts

ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ લાભ લાભાર્થીઓ સુધી પહોંચે કાર્યક્રમ આયોજન

admin

ખાસવાડી સ્મશાન જવા ના માર્ગ પર કાદવ-કીચડ વાળા રસ્તા સ્મશાન વિધિ માટે આવતા લોકોને હાલાકી

admin

રેસિડેન્સિયલ એરિયામાં જબરજસ્તીથી કોમર્શિયલ પ્રવૃત્તિઓ કરાતી હોવા મુદ્દે સ્થાનિકો દ્વારા રજૂઆત

admin

Leave a Comment