ચુડા શહેર પાસે પસાર થતી વાંસળ નદીનાં તટ પર ગયા વર્ષે પુર સરક્ષણ દિવાલ તૂટવાની ઘટના બની હતી.
ચોમાસાની શરૂઆતથી જ ચુડાનાં વાંસળ નદી પર આવેલો ડેમ ઓવરફ્લો થતાં નદી તટ પર વસવાટ કરતાં મફતિયાપરાનાં વિસ્તારો પાણીમાં ગળકાવ થઈ ગયા હતા.
ત્યારે ગત ચોમાસામાં મફતિયાપરા વિસ્તાર પાસેની સંરક્ષણ દિવાલ તૂટી ગઈ હતી તે સંરક્ષણ દિવાલ તૂટવાનો ઘણો સમય વીતી ગયા છતાં દીવાલનું નવીનીકરણ કે સમારકામ કરવામાં આવ્યું નથી જેના અભાવે ચોમાસામાં વાંસળ નદીનું પાણી મફતિયાપરા વિસ્તારમાં ઘૂસી જવાની ભીતી સેવાઈ રહી છે.
ત્યારે સ્થાનિક રહીશોમાં પાણી ઘૂસી જવાનો ડર સતાવી રહ્યો છે.અને વાંસળ ડેમ ઓવરફ્લો થયો છે અને નદી કિનારે સંરક્ષણ દિવાલ નહીં હોવાથી ગમે તે ઘડીએ પાણી ઘરોમાં ઘૂસી જવાની ભીતી સેવાઈ રહી છે. ત્યારે આ અંગે તાત્કાલિક અસરથી સરક્ષણ દિવાલ બનાવે તેવી લોક માંગ ઉઠી છે.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

