ચુડા તાલુકાના છલાળા ગામે રેશનકાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાયા.
છલાળા ગામનાં આશરે 700 રેશનકાર્ડ ધારકો 2 કિલોમીટર સુધી અનાજનો જથ્થો લેવા માટે સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કર્યો હતો..
રેશનિંગની દુકાન બલાળા ગામે મર્જ કરી દેતા છલાળા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયાં..
આ અંગે છલાળા ગામના સરપંચ પુંજાભાઈ રાઠોડે ગ્રામજનોને પોતાના ગામમાં જ અનાજ મળી રહે તે માટે રજૂઆત કરી હતી..
રજૂઆતનું નિરાકરણ નહીં આવતા ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ટૂંક સમયમાં છલાળા ગામે રેશનીંગ દુકાન શરૂ કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે ધરણાં પર બેસવાની સરપંચ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી…
ત્યારે આ અંગે છલાળા ગામનાં ગ્રામજનો દ્વારા બલાળા ગામેથી અનાજનો જથ્થો ન લેવાં માટે મક્કમ નિર્ધાર કર્યો..
ચુડા પુરવઠા વિભાગ નાયબ મામલતદાર રાજેન્દ્ર સોલંકીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અન્ન નાગરિક પુરવઠા નિગમનાં 26/8/15 નાં પરિપત્ર પ્રમાણે નિર્ણય લેવાયો છે.

