ટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્નજીવન અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે.

વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્નજીવન અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે. આ વર્ષે વટ સાવિત્રી 21મી જૂને છે કે 22મી જૂને? તેની ચોક્કસ તારીખ વિશે લોકોમાં કન્ફ્યૂન છે કારણ કે વટ સાવિત્રી વ્રત માટે જરૂરી પૂનમની તારીખ 21 જૂને સવારે શરૂ થશે અને 22 જૂનના બીજા દિવસે સવાર સુધી ચાલુ રહેશે વટ સાવિત્રી વ્રત પતિની લાંબા આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે રાખવામાં આવે છે. આ વ્રતમાં દેવી સાવિત્રી, સત્યવાન અને વડની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથ સાંભળવા અને વાંચવાની પરંપરા છે. આ દિવસે યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે. ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મંદિર ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ સાવિત્રીની ઉજવણી કરી વડ ની પૂજા અર્ચના કરવામાં આવી હતી મોટી સંખ્યામાં મહિલાઓએ આજે વટ સાવિત્રી નું વરાદ કરી વટ સાવિત્રીનું વર્ત કરવામાં આવ્યું હતું

