વડોદરા. સ્વામી ધર્મ પ્રકાશજી મહારાજના 117મા જન્મદિવસ અને સ્વામી અશોકપ્રકાશજી મહારાજશ્રીના 70મા જન્મદિવસ નિમિતે શહેરના વરસીયા ખાતે આવેલા પ્રેમપ્રકાશ ધર્મ તિર્થસ્થાન ખાતે તા. 02 થી 15નવેમ્બર દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે સ્વામી ધર્મ પ્રકાશજીના 117મા જન્મદિવસ અને સ્વામી અશોકપ્રકાશજીના 70મા જન્મદિવસ નિમિતે શહેરના વરસીયા ખાતે આવેલા પ્રેમપ્રકાશ ધર્મ તિર્થસ્થાન, સ્વામી ટેઉરામ ચોક, સંતકવર કોલોની, થી તા. 2જી નવેમ્બર થી 15નવેમ્બર સુધી સવારે 5:30 થી 6:30 દરમિયાન પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવી રહ્યું છે તા. 07 નવેમ્બરે સવારે 9:30 કલાકે બાળકોના જનેઉ આપવાનો કાર્યક્રમ યોજાશે તા. 02નવેમ્બર થી 15નવેમ્બર દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદની એ જણાવ્યું છે કે, તા. O7મી નવેમ્બરે મુકેશસાઇ, મોહન સાંઈ તથા ચરણસાઈ જનોઈ પ્રસંગે બાળકોને આશીર્વાદ આપશે. આ પ્રસંગે પ્રેમપ્રકાશ ધર્મ તીર્થ ના સંતિ પ્રભાતફેરીમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે. મુકેશ સાંઈ એ દરેકને પ્રભાત ફેરી માં ભાગ લેવા માટે અનુરોધ પણ કર્યો હતો.

