દશામાના વ્રતના ગણતરીના કલાકો બાકી છે ત્યારે વડોદરા શહેરના ડભોઈ રોડ ગણેશ નગર શાંતિનગર માં રહેતા રેતીબેન ગોસાઈ દ્વારા છેલ્લા 17 વર્ષોથી અવિરત પણે દશામાં ની પ્રતિમાનું વિતરણ વિના મૂલ્ય કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રીતુબેન ગોસાઈ દ્વારા 251 દશા માતાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું રીતુબેન ગોસાઈ દ્વારા સૌથી પહેલા પંચ મૂર્તિઓનું વિતરણ થી શરૂઆત કરવામાં આવી હતી જેમાં રીતુબેન ગોસાઈ ના ઘરમાં ચોરી ના બનાવ બનતા એને અટકાવાયો હતો તેના બાદ રીતુબેન ગોસાઈ માનતા રાખી હતી કે અમીર હોય કે ગરીબ તમામ ભક્તોને વિનામૂલ્ય દશા માતાની દશા માતા ની પ્રતિમા આપીશ અત્યારે આજે ગણેશ નગર ડભોઈ રોડ શાંતિનગર ખાતે 251 દશા માતા ની પ્રતિમા નું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વડોદરા શહેર કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને માઈ ભક્તોના દુઃખ દૂર હરનાર દશા માતા ના ભક્તોને મૂર્તિઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો સાથે સ્થાનિક લોકો પ્રતિમાનું વિતરણ કરવા સહયોગ આપ્યું હતું માઈ ભક્તો ને રીતુબેન ગોસાઈ આભાર વ્યક્ત કર્યો હતો
next post

