વડોદરા જિલ્લામાં શ્રમિકોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ પગલું ભરતા વધુ ત્રણ ‘ધન્વંતરી આરોગ્ય રથ’ શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા ના હસ્તે રથોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ સાથે જિલ્લામાં કાર્યરત આરોગ્ય રથોની સંખ્યા 12માંથી વધીને 15 થઈ ગઈ છે. આ રથો ખાસ કરીને કડિયા નાકા અને બાંધકામ સાઇટ્સ પર જઈ શ્રમિકોને સ્થળ પર જ નિઃશુલ્ક સારવાર પૂરી પાડશે.
નવા શરૂ કરાયેલા રથો મુખ્યત્વે જરોદ, છાણી અને ઓ.પી. રોડ વિસ્તારોમાં સેવા આપશે.
આ પ્રસંગે કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સુવિધાથી શ્રમિકોને કામના સ્થળે જ આરોગ્ય તપાસ અને દવાઓ મળી રહેશે, જેથી તેમનો સમય અને નાણાં બંનેની બચત થશે.

