કાળભૈરવ દાદા ની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર સરસૈયા તળાવ પાસે 400 વર્ષ જૂનું કાળભૈરવ મંદિર આવેલું છે કાળભૈરવ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી
આ દિવસે ભગવાન ભૈરવની પૂજા, આરતી અને મંત્ર જાપથી ભય, નકારાત્મક ઉર્જા અને મુશ્કેલીઓ દૂર થાય છે. નિશીથ કાળમાં પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે, જેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ભગવાન શિવના ઘણા રૂપ છે, પરંતુ તેમાં સૌથી રહસ્યમય અને શક્તિશાળી રૂપ માનવામાં આવે છે કાલ ભૈરવ. આ શિવના તે તેજસ્વી સ્વરૂપનું પ્રતિક છે જે અધર્મ અને અન્યાયનો અંત કરે છે. કહેવાય છે કે જ્યારે બ્રહ્માએ અહંકારમાં આવીને ભગવાન શિવનો અપમાન કર્યો, ત્યારે મહાદેવના ક્રોધથી કાલ ભૈરવનો જન્મ થયો. આ રૂપે અહંકારનો નાશ કર્યો અને ધર્મની રક્ષા કરી. દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કાલ ભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો કાલ ભૈરવની પૂજા, આરતી અને મંત્ર જાપ કરીને પોતાના જીવનમાંથી નકારાત્મકતા, ભય અને શત્રુ અવરોધોને દૂર કરવાનો સંકલ્પ લે છે. કહેવાય છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને અસાધારણ શક્તિ, આત્મવિશ્વાસ અને સફળતા મળે છે. ત્યારે વડોદરા શહેર ના સરસૈયા તળાવ પાસે આવેલ કાળભૈરવ મંદિરે વહેલી સવારથી ભક્તો એ દર્શનનો લાભ લીધો હત, જ્યારે વધુ માહિતી ત્રણ પેઢીથી સેવા આપી રહ્યા છે તેવા રમેશ નલાવડે વધુ માહિતી આપી હતી અને મંદિરનો ઇતિહાસ કીધો તો 400 વર્ષ જૂનું મંદિર છે ગાયકવાડ સમયનું આ મંદિર છે

