શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકો દ્વારા સંચાલિત બાવનમાં બાળમેળા નું આયોજન આગામી ૨૪ જાન્યુઆરીના રોજ સયાજી બાગ ખાતે યોજાશે.
પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સયાજી બાગ ખાતે બાળ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે..બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિઓને અભિવયક્ત કરવાના અવસરને ધ્યાને રાખીને બાળમેળાનું આયોજન કરવામાં આવેલ છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે યોજાનારા બાળ મેળામાં વિધાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ સાસ્કૃતિક કાર્યક્રમો, સાથે આ વખતે લેશર શો નું પણ આયોજન કરવામાં આવેલ છે. આ લેસર શોમાં દેશના અમર એતહાસિક પાત્રોમાંના એક એવા ૧૮મી સદીના રાણી અહલ્યા બાઈ હોલકર દ્વારા શરૂ કરવામાં આવેલ કન્યા કેળવણીની જ્યોતને ભારતના પ્રધાન સેવક નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સતત પ્રજવલ્લિત રહે તે હેતુને ચરિતાર્થ કરતા લેસર શો નું નિદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત બાળ મેળામાં અંતાક્ષરી કોણ બનેગા જ્ઞાન પતિ અને ટેલેન્ટ હન્ટ જેવા કાર્યક્રમ યોજાશે જે મુ લાકાતીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે.

