Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

“સ્વાગત ફરિયાદ નિવારણ” જિલ્લાકક્ષના કાર્યક્રમમાં પ્રજાજનોની વિવિધ ૧૪ અરજીઓનો સંતોષકારક નિકાલ

ચોક્કસ સમયમર્યાદામાં અરજદારોની અરજીઓનો નિકાલ કરવા સૂચન કરતા કલેકટર ગાર્ગી જૈન

જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરીના વીસી હોલ ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રજાજનોની વિવિધ ૧૪ જેટલી અરજીઓ મળી હતી. આ તમામ અરજીઓનો કલેકટર દ્વારા સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ “સ્વાગત ફરિયાદ નિવારણ”માં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતોને જિલ્લા કલેકટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી.તમામ ૧૪ અરજીઓના અરજદારોના પ્રશ્નો સંદર્ભે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમર્યાદામાં અરજદારો અરજીઓનો નિકાલ કરવા સૂચન કર્યુ હતું.

સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શૈખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી.ભગત સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના મેરીયા નદીનું ડાયવર્ઝન ધોવયું હતું 25 જેટલા ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પુલ બનાવવાની કામગીરી માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું.

admin

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી,કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટર સાયકલ ચોરીના ગુનામાં રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

admin

ડો બાબા સાહેબ આંબેડકરની ૧૩૫ જન્મ જયંતિની ઉજવણી છોટાઉદેપુર ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

Leave a Comment