ઉના શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન શાખા આનંદગઢ ગુરુકુલ દ્વારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની ૧૨૪મી જન્મ જયંતિ અષાઢી બીજ નિમિતે ઉનાને આંગણેથી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા આજરોજ બપોરે ૩:૩૦ કલાકે ગુરુકુલથી પ્રસ્થાન થઈ હતી. અને આ રથયાત્રા આનંદગઢ ગુરુકુલથી, બસ સ્ટેશન, ઉના નગરપાલિકા ભવન પાસેથી પસાર થતા ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને ફુલહાર પહેરાવી અને વધાવી હતી. આ ધાર્મિક પ્રસંગે ચીફ ઓફીસરશ્રી જે.જે.ચૌહાણ સાહેબ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી રાજુભાઈ ડાભી,પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી મિતેશભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખશ્રી મનીષભાઈ કારીયા, નગરપાલિકાના સદસ્યશ્રી ચંદ્રેશભાઈ જોશી, રવિભાઈ રાઠોડ, શહેર ભાજપ મહામંત્રીશ્રી કાંતિભાઈ છગ, કિરીટભાઈ વાજા, બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી અશ્વિનભાઈ ડાભી, કિસાન મોરચાના પ્રમુખશ્રી તુષારભાઈ દોમડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર ભાલીયા માધુ ઉના

