વડોદરા શહેરમાં સ્થાપિત 196 જેટલા તાજીયાઓનું સરસીયા તળાવ સહિત 9 સ્થળોએ વિસર્જન કરવામાં આવી રહ્યું છે . દરમ્યાન સરસિયા તળાવ ખાતે તાજિયા વિસર્જન વેળા એક 15 વર્ષીય તળાવ માં આકસ્મિક રીતે ડૂબી જતાં તુરંત સ્થળ પર મોજૂદ ફાયર બ્રિગેડ ની ટીમ સહિતનાઓએ બાળક ને શોધવાની કામગીરી હાથ ધરી હતી. બાળક મળી આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

